From the daily archives: Monday, July 13, 2009

બરફ જેવી છે આ જીંદગી… જેનો ભુતકાળ પણ પાણી અને ભવિષ્યકાળ પણ પાણી….

પ્રશ્નો તો રહેવાના જ…
સુખી લોકોને પ્રશ્ન થાય કે શું કરીએ તો ભૂખ લાગે ?
અને દુઃખી લોકોનો પ્રશ્ન છે કે ભૂખ તો લાગે છે, પણ શું કરીએ?!!!

ઇશ્વરનું બેલેન્સ કેવું અદભુત છે…
પાંચ મણ ઘઉંની બોરી ઉપાડી શકે તે મજુર, એકી સાથે ખરીદી ના શકે;
અને જે ખરીદી શકે છે તે શેઠ, તેને ઊપાડી ના શકે.

શ્વાસ ખુટી જાય અને ઈચ્છાઓ બાકી રહી જાય…….તે મોત
ઈચ્છાઓ ખુટી જાય અને શ્વાસ બાકી રહે …………..તે મોક્ષ